ચંદ્રકાન્ત શેઠ એટલે ગુજરાતી સાહિત્યમાં પડઘાની પેલે પાર અને ધૂળમાંની પગલીઓ...
Chandrakant sheth padagha ni pele par dhulmani pagalio gujarati sahity

Chandrakant sheth padagha ni pele par dhulmani pagalio gujarati sahity
ચંદ્રકાન્ત શેઠ એટલે ગુજરાતી સાહિત્યમાં પડઘાની પેલે પાર અને ધૂળમાંની પગલીઓ...
સંકલન અને આલેખન - જય પંડ્યા
કવિ ચંદ્રકાન્ત શેઠનું નિધન થયું ત્યારે એનું પુણ્યસ્મરણ ગુજરાતી સાહિત્યમાં કાયમ રહેશે. એમના શબ્દોની યાત્રા અમર રહેશે.. તેના વિશે થોડી માહિતી અને પંક્તિઓ જોઈે...
ચંદ્રકાન્ત શેઠની પ્રાથમિક માહિતીઓ...
નામ - ડૉ. ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ
જન્મ - 3 ફેબ્રુઆરી 1938
જન્મ સ્થળ - કાલોલ, પંચમહાલ, ગુજરાત
ઉપનામ - આર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
પત્ની - મુદ્રિકા બહેન
વ્યવસાય - કવિ, નિબંધકર, સંપાદક, વિવેચક
અભ્યાસ - એમ. એ. પી. એચ. ડી.
અવસાન - 02/08/ 2024
ઉંમર - 86 વર્ષ
નોંધપાત્ર સર્જનો -
પવન રૂપેરી (૧૯૭૨)
ઉઘડતી દિવાલો (૧૯૭૪)
ધુળમાંની પગલીઓ (૧૯૮૪)
જીવન...
તેમનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે થયો હતો. તેમના કુટુંબનું મૂળ ગામ ખેડાનું ઠાસરા ગામ છે. ૧૯૫૪માં તેમણે મેટ્રિક, ૧૯૫૮માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૭૯માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. કર્યું, જેનો વિષય "ઉમાશંકર જોશી સર્જક અને વિવેચક " હતો.
૧૯૬૧-૬૨ દરમિયાન તેઓ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યતા રહ્યા હતા. તેમણે ગુજરાતની વિવિધ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેઓ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભ્ય હતા.
ચંદ્રકાન્ત શેઠનું વિશિષ્ઠ સાહિત્ય...
આ ઉપરાંત, અનેક સંપાદનો, સંશોધનો, વિવેચનો પણ તેમની પાસેથી મળ્યા છે. જેમ કે, ‘કાવ્યપ્રત્યક્ષ’ (1976), ‘અર્થાન્તર’ (1978), ‘રામનારાયણ વિ. પાઠક’ (1979), ‘આયરનીનું સ્વરૂપ અને તેનો સાહિત્યમાં વિનિયોગ’ (1984), ‘સ્વામીનારાયણ સંતકવિતા : આસ્વાદ અને અવબોધ’ (1984), ‘કવિતાની ત્રિજ્યામાં’ (1986), ‘કાન્ત’ (1990), ‘ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા : 3’ (1992), ‘ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા : ભક્તિકવિતાનું સાતત્ય અને સિદ્ધિ’ (1993), ‘મહાદેવભાઈ દેસાઈ : સત્ત્વ અને સાધના’ (1994), ‘સાહિત્ય : પ્રાણ અને પ્રવર્તન’ (1998), ‘સ્વામી આનંદ’ (1998), ‘શબ્દ દેશનો, શબ્દ વિદેશનો’ (2002), ‘ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી’ (2003), ‘કવિતા : પંથ અને પગલાં’ (2004), ‘સાહિત્ય : તેજ અને તાસીર’ (2005).
આ ઉપરાંત અનુવાદ/રૂપાંતર તથા ‘બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ 1 અને 2’ (1995), ‘બૃહદ ગુજરાતી ગદ્યપરિચય ભાગ 1 અને 2’ (1995), ‘સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ’ (1983), ‘યુગદ્રષ્ટા ઉમાશંકર જોશી’ (1995, 2004), ‘ચૂંટેલી કવિતા : સુન્દરમ્’ (2004), ‘સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (2004), ‘સ્વામી આનંદ નિબંધ વૈભવ’ (2004), વગેરે સંપાદનનાંય પાંત્રીસેક પુસ્તકો મળ્યાં છે. ‘ચાંદલિયાની ગાડી’ (1980), ‘હું તો ચાલું મારી જેમ’, ‘ઘોડે ચડીને આવું છું’ (2001)માં એમનાં બાળકાવ્યો છે. એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (1985); કુમારચંદ્રક (1964); સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ (1986); નર્મદ સુવર્ણચંદ્રક (1983-87); નરસિંહ મહેતા ઍવૉર્ડ (2005); તથા ગુજરાતી સાહિત્ય અકાદમીનાં તેમ જ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા હતા
રચનાઓ
* કવિતા - પવન રૂપેરી, ઊઘડતી દિવાલો, ચાંદલિયાની ગાડી, પડઘાની પેલે પાર
* નાટક - સ્વપ્નપિંજર
* નિબંધ - નંદસામવેદી
* વિવેચન - રામનારાયણ વિ. પાઠક, કાવ્યપ્રત્યક્ષ, અર્થાન્તર ન્યાય
* વર્ણન - ધૂળમાંની પગલીઓ
* ચરિત્ર - ચહેરા ભીતર ચહેરા
* સંશોધન - ગુજરાતીમાં વિરામચિહ્ન
* અનુવાદ - પંડિત ભાતખંડે, મલયાલમ સાહિત્યની રૂપરેખા
* સંપાદન - સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય, માતૃકાવ્યો, દાંમ્પત્ય મંગલ
નોંધપાત્ર પંક્તિઓ :
ઊંચા દરિયા ને ઊંચા ડુંગરા રે જી, ધરતી પર આકાશ રે.
હું ને મારી આંખ વચાળે ખારા જળનો દરિયો,
હું ને મારા કંઠ વચાળે દરિયો મૃગજળ ભરિયો.
તું છે મારી અંદર તેથી ભર્યો ભર્યો લાગુ,
તું લીલોછમ અંદરથી તેથી હર્યો ભર્યો લાગુ.
ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
કક્કાજીને કાજે કવિતા નથી આ,
ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ.
ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?
તમારા આ બોલાયેલા — લખાયેલા શબ્દો,
- એમાં તમે નથી, તમારી છે છાયા;
- જેને તમારુ ના સ્હેજે અભિજ્ઞાન.
કુવારે સાત સાત રંગો ઊડે,
મા, ફુવારે તું.
ડાળે ડાળ પંખીનાં ગાણાં ઝૂલે,
મા, પંખીમાં તું.
યદા તુજ દૃગે ભમે ગરલવર્ણ ઈર્ષ્યા, તદા
પુરાણ નગરી તણા વિજન ક્યાંક ખંડેરમાં,
ભમંત સુણું કોક ડાકણનું હાસ – જે સાંભળ્યે
ખરે નભથી તારકો, રુદન થૈ જતું શ્વાનથી!
અંધકારનો પવન રૂપેરી આવે,
હરિયાળાં મેદાન ફરકતાં આવે,
ચન્દ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે
ચન્દ્રકાન્તના મન પર લીલ ચઢી છે;
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
સંકલન અને આલેખન - જય પંડ્યા
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






