Willpower દૃઢ મનોબળની તાકાત
Strength of willpower vir rammurti

Strength of willpower vir rammurti
Willpower દૃઢ મનોબળની તાકાત
લેખક - હસમુખ ટાંક
( લેખકના સર્જક, અનુવાદક, સંપાદક અને સંશોધક તરીકે 35 ઊપરાંત પુસ્તકો પ્રકાશિત થયા છે. તેઓ પર આચાર્યનું ભારણ હોવા છતાં સક્રિય ભાષા શિક્ષક છે. અનેક સંસ્થાઓ સાથે જોડાઈ અને શિક્ષણ તેમજ સાહિત્યનું કાર્ય કરી રહ્યા છે. )
Strength of willpower vir rammurti
તમે એવી કોઈ વ્યક્તિનું નામ સાંભળ્યું છે કે જે છ હજાર રતલના વજનનો હાથી પોતાની છાતી પર રાખી શકે?
Strength of willpower vir rammurti
તમે એવી કોઈ વ્યક્તિનું નામ સાંભળ્યું છે કે જે પચ્ચીસ હૉર્સ પાવરની બે મોટરને સામસામી જતી રોકી શકે? અને એ પણ એક-બે વાર નહીં, પૂરા તેર વખત!!
Strength of willpower vir rammurti
તમે એવી કોઈ વ્યક્તિનું નામ સાંભળ્યું છે કે જે પોતાની છાતી પર ત્રણથી ચાર હજાર રતલનો પથ્થર મુકાવી એના પર વજનદાર ઘણના ઘા કરાવી શકે?
તમે એવી કોઈ વ્યક્તિનું નામ સાંભળ્યું છે કે જે ત્રણથી ચાર હજાર રતલનો પથ્થર ફક્ત એક જ આંચકાથી દૂર ખસેડી શકે?
Strength of willpower vir rammurti
તમે એવી કોઈ વ્યક્તિનું નામ સાંભળ્યું છે કે જે ચાલીસ માણસોથી ભરેલા બે ગાડાંને આસાનીથી ખેંચી શકે?
તમે એવી કોઈ વ્યક્તિનું નામ સાંભળ્યું છે કે જે છાતી ફુલાવીને લોખંડની મજબૂત સાંકળ તોડી શકે?
તમે એવી કોઈ વ્યક્તિનું નામ સાંભળ્યું છે કે જે પોતાની છાતી છત્રીસ ઇંચ નહીં પરંતુ પૂરા છપ્પન ઇંચ ફુલાવી શકે?
નહીં ને?
Strength of willpower vir rammurti
આ કોઈ કલ્પના નથી પરંતુ ભારતના વીરપુરુષોમાં જેની ગણના થાય છે એવા વીર રામમૂર્તિએ ઉપર્યુક્ત તમામ હકીકત પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી.
બાળપણમાં તેમનું શરીર નિર્બળ હતું. પરંતુ કસરતથી શરીર એવું મજબૂત બનાવ્યું કે ફક્ત સોળ વરસની ઉંમરમાં તેઓ નાળિયેરીને ફક્ત ખભો મારતા અને નાળિયેરીમાંથી નાળિયેર ટપોટપ પડવા લાગતા.
એકવાર તેઓ બહેરામપુરામાં હતા. તેવામાં સમાચાર મળ્યાં કે એક ખૂંખાર વાઘ પાંજરામાંથી છૂટી ગયો છે. રામમૂર્તિ તરત જ આ વાઘ સામે દોડ્યા. મોતને સામે ચાલીને તાલી આપવાની હતી. પરંતુ ડરે તો રામમૂર્તિ શાના? વાઘ દોડતો દોડતો એક તબેલામાં ઘૂસ્યો. રામમૂર્તિને જોતા વાઘ હુમલો કરવા તૈયાર થયો. પરંતુ રામમૂર્તિએ સામેથી ધસી આવતા વાઘને પોતાની બાથમાં પકડી જમીન પર દબાવી દીધો. એક નરવીરે વનવીર પર વિજય મેળવ્યો.
બહેરામપુરાના લોકો આ વીર રામમૂર્તિને મનોમન વંદી રહ્યા.
Strength of willpower vir rammurti
Strength of willpower vir rammurti
પાથેય...
ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં. એકાગ્રતા અને દઢ મનોબળ એ મારા વિજયની ચાવી છે.
- વીર રામમૂર્તિ
Strength of willpower vir rammurti
( લેખકના પુસ્તકોની યાદી નીચે પ્રમાણે છે. લેખકના સંપર્ક માટે... https://www.facebook.com/hasmukh.tank.5492?mibextid=ZbWKwL )
Strength of willpower vir rammurti
Strength of willpower vir rammurti
#Strength #willpower #vir #rammurti
What's Your Reaction?






